આયુષ્યમાન કાર્ડ ક્યાંથી બનાવવો અને તેના માટેના પુરાવા અહીથી મેળવો.| Ayushman Card|

 આયુષ્યમાન કાર્ડ વિશે

જરૂરી પુરાવા

  •      પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળનો લેટર
  •         રેશન કાર્ડ(નવો બારકોડેડ)
  •         આધાર કાર્ડ

ઉપરોક્ત પુરાવા લઈ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦રૂ. પ્રતિ વ્યક્તિ ચુકવી કાર્ડ બનાવી શકો છો.

ખાસનોંધ

·      દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.

·      વર્ષ 2011 માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

·      આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ ના હોય તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.

·      પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને 4 લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃત/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.

·      પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે આપેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

https://mera.pmjay.gov.in/search/login

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ