![]() |
Image - Facebook |
નવી દિલ્હી, તા.17 માર્ચ-2023, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના આવતીકાલે 18 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. PMO ઓફિસે માહિતી આપતાં જણાવ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંદાજિત રૂ.377 કરોડના ખર્ચે બનવાયેલી આ પ્રથમ સીમા પાર ઊર્જા પાઈપલાઈન છે, જેમાં બાંગ્લાદેશમાં બનેલી પાઈપલાઈનના ભાગનો અંદાજિત રૂ.285 કરોડના ખર્ચ ભારત સરકાર દ્વારા અનુદાન સહાયતા ખર્ચ પેટે ઉઠાવાયો છે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે લગભગ 131.5 કિમી લાંબી પાઈપલાઈન
આ પાઈપલાઈન એક વર્ષમાં એક મિલિયન મેટ્રીક ટ્રન પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પાઈપલાઈન દ્વારા શરૂઆતમાં ઉત્તર બાંગ્લાદેશના 7 જિલ્લામાં હાઈ-સ્પીડ ડીઝલ સપ્લાય કરાશે. ઢાકાના વીજ રાજ્ય મંત્રી નસરુલ હામીદે તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારતમાંથી ડીઝલ આયાત કરવા લગભગ 131.5 કિમી લાંબી પાઈપલાઈન બંધાઈ છે. આ પાઈપલાઈન 126.5 કિમી બાંગ્લાદેશમાં અને 5 કિમી ભારતમાં છે. ઉલ્લેખનિય છે કે, ભારત અને બાંગ્લાદેશની સરહદ પાર આ પહેલી ઊર્જા પાઈપલાઈન છે, જે અંદાજિત 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાઈ છે.
https://ift.tt/MGUQY51 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Tf7V1Jn
0 ટિપ્પણીઓ