મુંબઈ,તા.27 નવેમ્બર 2022, રવિવાર
હાલ મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ આવેલો છે, જેનો એક ભાગ તૂટી ગયો છે. આ પુલ પરથી આ સમયે ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ પુલની ઊંચાઈ લગભગ 60 ફુટ છે. એટલે કે જે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે લોકો 60 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના નામ સામે આવ્યા છે.
A part of foot overbridge collapsed at Ballarshah railway station in Chandrapur distric of Maharashtra. Several injured in this accident. Hope so they all will get healthy soon🙏🙏#Maharashtra #railwaystation pic.twitter.com/aZnSFn4yMm
— Sanjeev Mehra (@m_sanjeev_347) November 27, 2022
આ ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ખુબ જ ગંભીર છે. ઉલ્લેખનિય છે કે, કાઝીપેટ પુણે એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા માટે ઘણા લોકો પ્લેટફોર્મ નંબર-1 પરથી પ્લેટફોર્મ નંબર-4 તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પુલનો એક ભાગ તૂટી ગયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના નજરે નિહાળનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, આ ઘટના લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ બની છે.
https://ift.tt/a0IZm3c from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CMFZWpI
0 ટિપ્પણીઓ